પુણે: શિવસેના (Shivsena) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  અંડરવર્લ્ડના ડોન કરીમ લાલા (Karim Lala)  અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ની મુલાકાત અંગે નિવેદન આપતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા હવે સંજય રાઉતે આખરે માફી માંગવી પડી. સંજય રાઉતે કહ્યું કે ઈન્દિરા ગાંધીનું અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથ મળવાની વાતથી અમારા મિત્ર કોંગ્રેસે દુ:ખી થવાની જરૂર નથી. જો કોઈને એમ લાગતુ હોય કે મારા નિવેદનથી ઈન્દિરા ગાંધીની છબીને ધક્કો લાગ્યો છે કે પછી કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું મારું નિવેદન પાછું ખેચું છું. 


સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસ થશે કાળઝાળ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે નહેરુ અને ઈન્દિરા ગાંધી માટે હંમેશાથી મારા મનમાં સન્માન છે. તેમણે વધુમાં કહ્યું કે કરીમ લાલા સાથે અનેક નેતાઓ મુલાકાત કરતા હતાં. તેઓ પઠાણ સમુદાયના નેતા હતા, અફઘાનિસ્તાનથી આવ્યાં હતાં. આથી લોકો પઠાણ સમુદાયની સમસ્યાઓ જાણવા માટે તેમને મળતા હતાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...